CRC Mirzapar is cluster of schools under SSAM programme in BHUJ BRC,Dist. KUTCH. CRC Mirzapar is near to BHUJ city at Jaynagar school.In this cluster 10 Government schools(1)MIRZAPAR BOY'S(2)MIRZAPAR GIRL'S(3)JAYNAGAR (4)SAHJANANDNAGAR(5)MOCHIRAI(6)PITHORANAGAR(7)SUKHPAR B-1,(8)SUKHPAR B-2,(9)SUKHPAR G-1,(10)SUKHPAR 2 and 3 Private schools (1)SUKHPAR GMDC(2)JAYKRUSHN ACADAMY (3)DIVYBHRAHMLOK Mr. Nanji Janjani is CRC Co-rodinator and Prafula Maheta is Convenor.
MY MOTIVATOR
▼
बुधवार, 21 दिसंबर 2011
સદભાવના ઉપવાસ કાર્યક્રમ ભચાઉ માં પપેટ શો
સદભાવના ઉપવાસ કાર્યક્રમ ભચાઉ માં પપેટ શો
સદભાવના ઉપવાસ કાર્યક્રમ ભચાઉ માં પપેટ શો
ગુજરાત ના મુખ્યમંત્રી માન, શ્રી નરેન્દ્ર મોદી ના સદભાવના ઉપવાસ કાર્યક્રમ માં પપેટ શો રજુ કરવાનો અવસર મળ્યો . તા. ૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૧ ના બે દિવસ સુધી સરકારશ્રી ની શિક્ષણ ની યોજનાઓ પ્રવેશોત્સવ, કન્યા કેળવણી , વિદ્યાદીપ , મફત પાઠ્યપુસ્તક યોજના , શિષ્યવૃત્તિ-ગણવેશ યોજના , પ્રજ્ઞા, શાળા આરોગ્ય તપાસણી, બાળ આરોગ્ય વગેરે વિષયો પર આધારિત પપેટ શો રજુ કરવામાં આવેલ. તા. ૧૮-૧૧-૨૦૧૧ ના સવારે ૯.૦૦ કલાકે માન. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પપેટ શો નિહાળવા પધારેલ. સમગ્ર દિવસ દરમિયાન હજારો લોકો વિશેષકર નાના બાળકો એ પપેટ નિહાળવા ખુબ જ રૂચી દર્શાવી
મીરઝાપર સી.આર.સી. ની શાળાઓ માં ગુણોત્સવ -૨૦૧૧
મીરઝાપર સી.આર.સી. ની શાળાઓ માં ગુણોત્સવ -૨૦૧૧
માં જીલ્લા કક્ષાના અધિકારી શ્રીમતી રક્ષાબેન ઉપાધ્યાય (લેકચરર, ડાયેટ ભુજ ) એ મુલાકાત લીધી હતી. આ કાર્ય માં લાયઝન તરીકે સી.આર.સી. કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી ફરજ બજાવી. તા.૨૪-૧૧-૨૦૧૧ ના મોચીરાઈ પ્રાથમિક શાળા, તા.૨૫-૧૧-૨૦૧૧ ના વાણીયાવાડ કુમાર શાળા-ભુજ , તા.૨૬-૧૧-૨૦૧૧ નાં સુખપર કન્યા શાળા-૨ માં ગુણોત્સવ -૨૦૧૧ અંતર્ગત ધોરણ 3 થી ૮ માં શૈક્ષણિક મુક્યાંકન કરવામાં આવ્યું.
દરેક શાળા માં સાંજે ૪ થી ૫ વાલી અને એસ.એમ.સી. નાં સભ્યો સાથેની બેઠક માં બાળકો દ્વારા આરોગ્યલક્ષી નાટક અને સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ. શાળાની વિશિષ્ટ કામગીરી માટે દરેક શાળા નાં આચાર્યશ્રી મોચીરાઈ પ્રાથમિક શાળા નાં શ્રી આર.એન. પરમાર, વાણીયાવાડ કુમાર શાળા-ભુજ ના શ્રી હર્ષદરાય દવે, સુખપર કન્યા શાળા-૨ ના શ્રી કિર્તીભાઈ સોની અને સાથી શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા. શાળા માં જરૂરી સુધારા અને શૈક્ષણિક ગુણવત્તા ઉંચી લાવવા માર્ગદર્શન આપવામાં આવેલ.
रविवार, 18 दिसंबर 2011
સી.આર.સી. મીરઝાપર રમતોત્સવ -૨૦૧૧ હિલ ગાર્ડન માં યોજાઈ ગયો.
સી.આર.સી. મીરઝાપર રમતોત્સવ -૨૦૧૧ હિલ ગાર્ડન માં યોજાઈ ગયો.
૧૦ શાળાઓ ના કુલ ૧૬૫ બળ રમત વીરો અને શિક્ષકો એ આ રમતોત્સવ માં ભાગ લીધો હતો.
રમત મુજબ વિજેતાઓ ના નામ નીચે મુજબ છે.
BOY'S EVENT
| | | |
| | | |
| | | |
| | | |
| | | |
| | | |
| | | |
GIRL'S EVENT
TEACHER'S EVENT (GENTS)
TEACHER'S EVENT (LADIES)
મીરઝાપર સી.આર.સી. ની શાળા ઓ માં પ્રજ્ઞા અભિગમ શિક્ષણ વ્યવસ્થા .
મીરઝાપર સી.આર.સી. ની શાળા ઓ માં પ્રજ્ઞા અભિગમ શિક્ષણ વ્યવસ્થા .
વર્ષ ૨૦૧૦-૧૧ માં પ્રથમ વર્ષ માં ધોરણ ૧-૨ માં પ્રજ્ઞા અભિગમ શિક્ષણ વ્યવસ્થા થી શિક્ષણ આપવામાં આવેલ. વર્ષ ૨૦૧૧-૧૨ થી ધોરણ ૩-૪ માં પણ પ્રજ્ઞા અભિગમ શિક્ષણ વ્યવસ્થા થી જોડવા માં આવેલ છે.
આ શાળાઓ માં કામ કરતા શિક્ષકો ની માહિતી નીચે મુજબ છે.
STD 1--2 GUJARATI, PARYAVARN GROUP-1 TEACHER | |||||
મીરઝાપર સી.આર.સી. નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન પીથોરાનગર પ્રાથમિક શાળા
મીરઝાપર સી.આર.સી. નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન પીથોરાનગર પ્રાથમિક શાળા માં તા. ૫-૮-૨૦૧૧ ના યોજાઈ ગયો . સી.આર.સી. ની ૧૦ શાળા ની કુલ ૪૨ કૃતિ રજુ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો ને ટ્રોફી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા . આ પ્રસંગે કચ્છ જીલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ નાં પ્રમુખ શ્રી રશ્મીકાંત પંડ્યા અને શ્રી પ્રગ્નેશભાઈ છાયા નું બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન નું આયોજન અને વ્યવસ્થા પીથોરાનગર પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી ચંદુલાલ માકાસના અને શ્રીમતી આર.જી. ગોસ્વામી એ કરી હતી.
બી.આર.સી. કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લેનાર શાળાઓ ની નીચે મુજબ ની કૃતિઓ પસંદગી પામી છે.
વિભાગ શાળા
૧ સુખપર કન્યા શાળા-૧
૨ સુખપર કુમાર શાળા-૨
૩ મીરઝાપર કુમાર શાળા
૪ સહજાનંદ નગર શાળા
૫ પીથોરાનગર શાળા
૬ મીરઝાપર કન્યા શાળા
शुक्रवार, 15 जुलाई 2011
ગુરુ પૂર્ણિમા ના પાવન દિન પર પ્રાથમિક શાળા ના એક શિક્ષક ને શતશ પ્રણામ
ગુરુ પૂર્ણિમા ના પાવન દિન પર દરેક ના જીવન માં જ્ઞાન ની સરવાણી
વહાવનાર અને જીવન ઘડતર કરનાર ગુરુઓ જીવનભર ક્યારેય
ભુલાતા નથી. આમ તો જીવન માં જે જે વ્યક્તિ પાસેથી જીવન વિકાસ
માટે જે શીખવા મળ્યું એ ગુરુ. પણ કોઈ એક વ્યક્તિનો એટલો મહત્વનો
રોલ બની જાય છે કે આપની પોતાની
જિંદગી એનો ઋણ અદા કરવા ટૂંકી પડે છે.
મારા જીવન માં ગણા મહાન વ્યક્તિઓ નો ભેટો થયો. પૂજ્ય દાદાજી
પાંડુરંગ શાસ્ત્રી , પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ,
પૂજ્ય સ્વામીશ્રી સત્યનારાયણ ગીરીજી જેવા મહાન પુરુષો સાથે કામ
કરવાની તક મળી એ બાબત મારા જીવન માં ખુબ જ મહત્વ ની છે.
હું લખપત તાલુકા ના ૧૫૦ લોકો ની વસ્તી વાળા નાના એવા ખટિયા
ગામ નો વાતની. ધોરણ ૧-૪ નું પ્રાથમિક શિક્ષણ પૂરું કરી
ધંધાર્થે મારા બાપુજી શ્રી જુમા ભગત પાનધ્રો ગામ માં ૧૯૭૭ માં આવ્યા
હતા. ત્યારે પાનધ્રો ની શાળા માં અમદાવાદ ના વિરમગામ તાલુકાના
ટ્રેન્ટ ગામ ના વતની શ્રી રતિલાલ રાઠોડ સાહેબ જે મને કેળવણી ની
દિશા આપી એ જ મારા સાચા પથદર્શક બન્યા .
રતિલાલ સાહેબ નાં અક્ષરો એવા સુંદર કે જાણે
પ્રેસ નાં છાપેલા. એમને જોઈ ને એમ જ
થયા કરે કે એમના જેઓ થાઉં. ૧૯૭૭, ૧૯૭૮ અને ૧૯૭૯ એમ ત્રણ વર્ષ
માં મને એમણે જીવનનું ભાથું આપી દીધું. પોતે એકલા રહેતા એટલે
એમના ઘરે પાણી ભરી આપું, વાસણ સાફ કરી આપું, નાનું મોટું કામ
દોળતો કરી આવું. ૧૯૭૯ માં ધોરણ ૭ પાસ કરી ને મારે હાઇસ્કુલ ના
અભ્યાસ માટે નલિયા છાત્રાલય માં જવાનું થયું. મારી જાજાણી અટક
પણ એમણે નક્કી કરી આપી. બાકી તો મને આજે ઓળખે કોણ ? પાનધ્રો
થી તેઓ મને પત્ર લખતા, હું એમણે પત્ર લખતો. આ પત્ર નો સંબંધ એક
વર્ષ ચાલ્યો. ૧૯૮૦ માં એમની બદલી ભચાઉ તાલુકા ના મોટી ચીરાઇ
ગામ માં થઇ . પણ પત્ર થી મળવાનો અમારો સંબધ ચાલુ રહ્યો. નક્કી
કર્યું કે વેકેશન માં મળવા જરૂર આવીશ. ત્યાર બાદ ૧૯૮૩ માં
એસ.એસ.સી. કરી લીધી, ૧૯૮૫ માં પી.ટી.સી. કરી લીધી પણ પત્ર થી
મળવાનો અમારો સંબધ ચાલુ રહ્યો. ૧૯૮૬ થી તીર્થધામ નારાયણ
સરોવર માં શિક્ષક ની નોકરી મળી ગયી. હવે તેમને મળવાની તલબ
વધી ગયી. એક વાર વેકેશન માં મોટી ચીરાઇ ગયો
પણ તેઓ બહ્ર્ગામ ગયા એટલે ન મળ્યા. બસ આમ ન મળવા ના ઘણા
વર્ષો વીતી ગયા . છતાં પણ પત્ર થી મળવાનો અમારો સંબધ ચાલુ
રહ્યો. પછી તેમણે હળવદ માં બદલી કરાવી લીધી. ૨૦૦૬ માં એક
વાર સમાજવિધ્યા વિષય ની રાજ્ય કક્ષા ની તાલીમ માં બેચરાજી
જવાનું થયું. મારી સાથે મારા મિત્રો હરિભાઈ પટેલ, મદનભાઈ ઠક્કર
સાથે હતા . બે દિવસ ની તાલીમ બાદ મેં કહ્યું કે અહીં થી ટ્રેન્ટ ગામ
૧૮ કિલોમીટર દુર છે અને ત્યાં માર સાહેબ રહે છે. હું એમણે મળવા
જાઉં છું. તમે લોકો ભલે કચ્છ જાઓ . મને રતિલાલ સાહેબ ને મળવા
ની અંતર ની ઈચ્છા ઘણા વર્ષો બાદ પૂરી થઇ રહી છે, તેનો આનંદ
હૈયા માં સમાતો ન હતો. મેં સાહેબ માટે બેચરાજી થી પેન્ટ , શર્ટ અને
બહેન માટે સાળી લીધી. ટ્રેન્ટ ગામ માં એમના ઘર પૂછતો પૂછતો ગયો.
એમના પરિવાર માં ૪ ભાઈ નો મોટો કુટુંબ. બધા ને મળી ને આનંદ
થયો પણ મારા અંતરપટ પર વસનાર રતિલાલ સાહેબ મળ્યા નહિ. મેં
પૂછ્યું સાહેબ ક્યાં છે એમના ઘર ક્યાં છે?
હું એમણે મળવા કચ્છ થી આવ્યો છું અને એમના માટે આ કપડા
લાવ્યો છું. કોઈ કઈ બોલે નહિ. મોટા ભાઈ એ કહ્યું આ તમે બેઠા છો એ
એમનું જ ઘર છે પણ એ નથી. મેં કહ્યું કયા બહાર ગયા છે? ત્યારે મોટા
ભાઈ એ કહ્યું કે એક વર્ષ પહેલા હાર્ટ એટેક માં એમનું અવસાન થયું.
આ શબ્દો સાંભળી મને ખુબ જ ધ્રાસકો લાગ્યો. હું ખુબ ડઘાઈ ગયો.
સમજી ન શક્યો કે હું અહીં શેના માટે આવ્યો છું? ચોધાર આંસુએ રોઈ
પડ્યો. મારી સાથી પરિવાર ના બધા ખુબ જ દુખી થયા. સ્વસ્થતા
સાથે મેં સાથે લાવેલ કપડા એમને આપ્યા આખી હકીકત જાણી. વર્ષો
નાં મિલન ની ઈચ્છા આવી રીતે બનશે. એ કલ્પી ન શકાય એવું બન્યું.
મારા જીવન ઘડતર ના આ મારા સાહેબ , મારા ગુરુ, મારી પ્રેરણા,
મારા અંતરમન ના પૂજ્ય મારા પ્રાથમિક શાળા ના એક શિક્ષક ને
શતશ પ્રણામ .