મીરઝાપર સી.આર.સી. ની શાળાઓ માં ગુણોત્સવ -૨૦૧૧
માં જીલ્લા કક્ષાના અધિકારી શ્રીમતી રક્ષાબેન ઉપાધ્યાય (લેકચરર, ડાયેટ ભુજ ) એ મુલાકાત લીધી હતી. આ કાર્ય માં લાયઝન તરીકે સી.આર.સી. કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી ફરજ બજાવી. તા.૨૪-૧૧-૨૦૧૧ ના મોચીરાઈ પ્રાથમિક શાળા, તા.૨૫-૧૧-૨૦૧૧ ના વાણીયાવાડ કુમાર શાળા-ભુજ , તા.૨૬-૧૧-૨૦૧૧ નાં સુખપર કન્યા શાળા-૨ માં ગુણોત્સવ -૨૦૧૧ અંતર્ગત ધોરણ 3 થી ૮ માં શૈક્ષણિક મુક્યાંકન કરવામાં આવ્યું.
દરેક શાળા માં સાંજે ૪ થી ૫ વાલી અને એસ.એમ.સી. નાં સભ્યો સાથેની બેઠક માં બાળકો દ્વારા આરોગ્યલક્ષી નાટક અને સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ. શાળાની વિશિષ્ટ કામગીરી માટે દરેક શાળા નાં આચાર્યશ્રી મોચીરાઈ પ્રાથમિક શાળા નાં શ્રી આર.એન. પરમાર, વાણીયાવાડ કુમાર શાળા-ભુજ ના શ્રી હર્ષદરાય દવે, સુખપર કન્યા શાળા-૨ ના શ્રી કિર્તીભાઈ સોની અને સાથી શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા. શાળા માં જરૂરી સુધારા અને શૈક્ષણિક ગુણવત્તા ઉંચી લાવવા માર્ગદર્શન આપવામાં આવેલ.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें