મીરઝાપર સી.આર.સી. દ્વારા આયોજિત એસ.એમ.સી. સભ્યો ની તાલીમ મીરઝાપર કન્યા શાળા માં.
તા. ૨-૩ જાન્યુઆરી ૨૦૧૨ બે દિવસ દરમિયાન મીરઝાપર સી.આર.સી. ની (૧) મીરઝાપર કુમાર શાળા (૨) મીરઝાપર કન્યા શાળા (૩) સહજાનંદ નગર શાળા (૪) મોચીરાઈ શાળા (૫) પીથોરાનગર શાળા ના એસ.એમ.સી. ના દરેક શાળા ના ૧૨ સભ્યો ને બીજા તબ્બકા ની તાલીમ મીરઝાપર કન્યા શાળા માં આપવામાં આવી. તાલીમ માં તજજ્ઞ તરીકે કેર સંસ્થા ના પ્રતિનિધિ પલક્ભાઈ પટ્ટની અને કૈલાશબેન ચૌહાણ કામગીરી કરી. તાલીમ મોડ્યુલ ના ૧૮ મુદ્દા ને તજજ્ઞ શ્રીઓ એ ખુબ સારી રીતે એસ.એમ.સી. સભ્યો ને સમજાવ્યા અને પ્રવૃતિઓ કરાવી . તાલીમ નાં આયોજન માં કુમાર શાળા ના આચાર્યા બહેન પ્રફુલાબેન મહેતા અને કન્યા શાળા ના આચાર્યા બહેન વંદનાબેન ભટ્ટ તેમજ શ્રી સી.એસ. માકાસાણા શ્રી એસ.એસ. સોઢા શ્રી આર.એમ. પરમાર અને શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ જહેમત ઉઠાવી હતી.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें