लोकप्रिय पोस्ट

शुक्रवार, 6 जनवरी 2012

મીરઝાપર સી.આર.સી. દ્વારા આયોજિત એસ.એમ.સી. સભ્યો ની તાલીમ સુખપર કુમાર શાળા-૧ માં.


મીરઝાપર સી.આર.સી. દ્વારા આયોજિત એસ.એમ.સી. સભ્યો  ની તાલીમ સુખપર કુમાર શાળા-૧  માં.
તા. ૪-૫  જાન્યુઆરી ૨૦૧૨ બે દિવસ દરમિયાન મીરઝાપર સી.આર.સી. ની (૧) સુખપર કુમાર શાળા-1 (૨)  સુખપર કુમાર શાળા-૨  (૩) સુખપર કન્યા શાળા-1 (૪) સુખપર કન્યા શાળા-૨ અને  (૫) જયનગર શાળા ના એસ.એમ.સી. ના દરેક શાળા ના ૧૨ સભ્યો ને બીજા તબ્બકા ની તાલીમ  સુખપર કુમાર શાળા-૧    માં આપવામાં આવી. તાલીમ નું ઉદ્ઘાટન ભુજ નગર પાલિકા નાં કૌન્સીલાર અને જયનગર એસ.એમ.સી. નાં અધ્યક્ષા શ્રીમતી પન્નાબેન જોશી ના વરદ હસ્તે દીપ પ્રગટ્યા કરી કરી કરવામાં આવ્યું. આ પ્રસંગે સુખપર ગામ નાં શિક્ષણ વિદ શ્રી પ્રભુલાલ જોશી અને શ્રી કરશનભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી.  તાલીમ માં તજજ્ઞ તરીકે કેર સંસ્થા ના પ્રતિનિધિ પલક્ભાઈ  પટ્ટની અને કૈલાશબેન ચૌહાણ કામગીરી કરી. તાલીમ મોડ્યુલ ના ૧૮ મુદ્દા ને તજજ્ઞ શ્રીઓ એ ખુબ સારી રીતે એસ.એમ.સી. સભ્યો ને સમજાવ્યા અને પ્રવૃતિઓ  કરાવી . તાલીમ નાં આયોજન ને સફળ બનાવવા શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ, શ્રી કિર્તીભાઈ સોની , શ્રી કિશોરભાઈ ડાભી , શ્રી ભરતભાઈ ચુલા , શ્રી રશ્મીકાંત ઠક્કર વગેરે એ  તેમજ શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ જહેમત ઉઠાવી હતી. 
































कोई टिप्पणी नहीं: